રાગ-ધોળ:- ‘આજ મારે ટાણું આવ્યું છે મહાસુખનું’ એ ઢાળ.
સંતો વિમુખ થકી રહીએ વેગળા, ડરિયે દિવસ ને રાત રે;
સંતો વિશ્વાસ કરતાં વિમુખનો, વણશી જાયે જો વાત રે. સંતો૦ ।। ૧ ।।
સંતો વિમુખ વિખ આપે વાતમાં, કરી હેત અપાર રે;
સંતો રગરગમાં તે રમી રહે, ન રહે વચનનો ભાર રે. સંતો૦ ।। ર ।।
સંતો સોબત ન ગમે પછી સંતની, વા’લા લાગે વિમુખ રે;
સંતો નિયમ ન ગમે નાથનાં, માને મોકળે સુખ રે. સંતો૦ ।। ૩ ।।
ત્યારે કરવાનું છે તે કયાંથી કરે, થાયે ન કર્યાનું કામ રે;
કહે નિષ્કુળાનંદ નિશ્ચે નર, ન પામે સુખ ઠામ રે. સંતો૦ ।। ૪ ।।