રાગ-કેદારો:- ‘પ્રાણ મ રહેજો પ્રિતમ વિના’ એ ઢાળ.
સરે સાર શોધતાં તે શું મળશે, કરતાં કુસંગનો સંગ વળી;
સુખ સ્વપને નહિ આવે શરીરને રે, આવશે દુઃખ અતોલ મળી. સરે૦ ।। ૧ ।।
જાણી ઝગમગ ઘણી હીરાકણી, ખાય ખાંત્યે ખૂબ પેટ ભરી;
એમ કુસંગનો સંગ અંગમાં ઊતર્યો રે, કેમ રહે સતસંગ તેણે કરી. સરે૦ ।। ર ।।
જેમ ખાય ઠગની ઠગમૂળી ઠાઉકી, તેને સાધ્ય શરીરે કેમ રહે;
તેમ વચન વિમુખનાં ઉરમાં આવતાં રે, જે ન કે’વાનું તે સર્વે કહે. સરે૦ ।। ૩ ।।
એણે આ લોક પરલોક બેઉ બગાડિયા, ખવરાઈ ગઈ ખળે આવી ખેતી;
નિષ્કુળાનંદ કહે આવ્યે અવસરે રે, ચૂક પડી૯ નવ શકયો ચેતી. સરે૦ ।। ૪ ।।