રાગ-આશાવરી:– ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ એ ઢાળ.

ખોટમાં દોટ દેવી નહિ દેખી, કરી લૈયે ખરાખરી ખાટ્ય રે;

શીદ ખાયે ખોળી ખડ ધાન્યને, જયારે પામ્યા રાજય ને પાટ્ય રે, ખોટમાં૦ ।। ૧ ।।

શણગાર સોનાના સજી શરીરે, ભૂંસિયે નહિ મુખે ભૂંડી મશ રે;

મુખ દેખે લેખે તે લજામણું, એમ શીદ ખોયે જાણી જશ રે. ખોટમાં૦ ।। ર ।।

કરીથી ઊતરી ખરી પર ચડી, મોટી વાત મુખે ન કે’વાય રે;

કાઢી કટિપટ કોઈ કરે પતાકા, એના શરીરની શોભા જાય રે. ખોટમાં૦ ।। ૩ ।।

એમ પોતાનો પતિ પરહરી પરો, કોઈ નારી કરે વ્યભિચાર રે;

નિષ્કુળાનંદ કે’ જાય જશ તેનો, વળી કોયે ન કરે પતિયાર રે. ખોટમાં૦ ।। ૪ ।।