રાગ–જકડી:- ‘વચન લોપી જાણે સુખ લેશું રે’ એ ઢાળ.
નહિ પામે પામર નર સુખ રે,
રહી હરિવચનથી વિમુખ રે… નહિ૦ ટેક.
સુખ પામશે સંત સુજાણ રે, જે કોય વર્તે છે વચન પ્રમાણ રે;
થઈ રહી વા’લાના વેચાણ રે… નહિ૦ ।। ૧ ।।
કર્યું ધ્વજપટ ઘટ મન રે, વળે જેમ વાળે છે પવન રે;
એમ માને વાલાનાં વચન રે… નહિ૦ ।। ર ।।
જેમ નરમ તૃણ નદી તટ રે, વારિ વેગે વળી જાય ઝટ રે;
તેને શીદને આવે સંકટ રે… નહિ૦ ।। ૩ ।।
એમ વચન વશ થઈ રહે રે, તે તો મોટા સુખને લહે રે;
નિશ્ચે નિષ્કુળાનંદ એમ કહે રે… નહિ૦ ।। ૪ ।।