રાગ-સિંધુ રામગ્રી:-મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ.

સમજીને સમજુ રે, વા’લાં કરો હરિનાં વચન;

દેખી પેખીને દુઃખમાં, શીદ પરાણે પડિયે જન..સમજી૦ ।। ૧ ।।

જેને વચને વિઘન વિરમે, પામિયે પરમ આનંદ;

એવાં વચન જે ઉલ્લંઘે, તે તો કા’વે મૂરખ મતિમંદ. સમજી૦ ।। ર ।।

અસમર્થની જે આગન્યા, મનાયે ન મનાયે મન;

પણ સમર્થના વચનમાં, રહિયે રાજી થઈ નિશદિન..સમજી૦ ।। ૩ ।।

શ્રીહરિ રીઝવી સુખ લૈયે, ખીજવીને ન ખાય ખોટ;

નિષ્કુળાનંદ કહે ન કીજિયે, એવું લઈ અવરની ઓટ. સમજી૦ ।। ૪ ।।