લજામણાને લાજ ન હોયજી, નર મુનિવર મર વળી વગોયજી

તિરસ્કાર તલભાર ન માને તોયજી, મર આવી કહે કોવિદ નર કોયજી

કોઈનું કેમ માને કહ્યું, થયું જેને ગોઠણ  જેટલું ।।

રોગરાજના રોગીને જેમ, ખુવે ખવરાવે તેટલું ।। ર ।।

જેમ ભાદરવે ભેંસ પૂછલી,૯ જેમ પડ્યો ગજ અજાડિયે ।।

જેમ લાગી ગોળી લલાટ માંયે, તેને જીવવાની ના પાડિયે ।। ૩ ।।

તેમ આવતે જોબને આવી મળ્યો, જબરા કુસંગનો જોગ ।।

તેને સાધ્ય શી રહે શરીરમાંહી, જેને થયો અસાધ્ય રોગ ।। ૪ ।।

જેમ ચંદનઘોના ચાખેલની, વળી નહિ ઊગરવા આશ ।।

તેમ કુસંગના કરડેલનો, જાણો ના’વે વળી વિશવાસ ।। પ ।।

જેમ મમોઈગર કર માનવી, ખેરી પડી વળી કર ખાટકી ।।

પારાધી કર પશું પડ્યું, તે નહિ નહિ જીવે નકી ।। ૬ ।।

તેમ ખરા કુસંગને પડ્યો ખબેડે, તેણે બુદ્ધિ ઊંધી આવી ઘણી ।।

તેને સવળું કેમ સૂઝશે, રાખશે કેમ સત્સંગ શિરોમણિ ।। ૭ ।।

જેમ કોઈ ખાયે ઝાઝા ઝેરને, વળી કરડી જીભ કટકા કરે ।।

નિષ્કુળાનંદ એ નરને, નથી જીવવાનું જાણો સરે ।। ૮ ।।