લજામણાને લાજ ન હોયજી, નર મુનિવર મર વળી વગોયજી
તિરસ્કાર તલભાર ન માને તોયજી, મર આવી કહે કોવિદ નર કોયજી
કોઈનું કેમ માને કહ્યું, થયું જેને ગોઠણ જેટલું ।।
રોગરાજના રોગીને જેમ, ખુવે ખવરાવે તેટલું ।। ર ।।
જેમ ભાદરવે ભેંસ પૂછલી,૯ જેમ પડ્યો ગજ અજાડિયે ।।
જેમ લાગી ગોળી લલાટ માંયે, તેને જીવવાની ના પાડિયે ।। ૩ ।।
તેમ આવતે જોબને આવી મળ્યો, જબરા કુસંગનો જોગ ।।
તેને સાધ્ય શી રહે શરીરમાંહી, જેને થયો અસાધ્ય રોગ ।। ૪ ।।
જેમ ચંદનઘોના ચાખેલની, વળી નહિ ઊગરવા આશ ।।
તેમ કુસંગના કરડેલનો, જાણો ના’વે વળી વિશવાસ ।। પ ।।
જેમ મમોઈગર કર માનવી, ખેરી પડી વળી કર ખાટકી ।।
પારાધી કર પશું પડ્યું, તે નહિ નહિ જીવે નકી ।। ૬ ।।
તેમ ખરા કુસંગને પડ્યો ખબેડે, તેણે બુદ્ધિ ઊંધી આવી ઘણી ।।
તેને સવળું કેમ સૂઝશે, રાખશે કેમ સત્સંગ શિરોમણિ ।। ૭ ।।
જેમ કોઈ ખાયે ઝાઝા ઝેરને, વળી કરડી જીભ કટકા કરે ।।
નિષ્કુળાનંદ એ નરને, નથી જીવવાનું જાણો સરે ।। ૮ ।।