માની વચન મોટા થયા કઈજી, જે મોટપ્ય કહેતાં કહેવાય નહીંજી
તેહ પામ્યા વા’લાને વચને રહીજી, એ પણ મર્મ સમજવો સહીજી
સહી સાબિત કરી શિરસાટે, રહ્યા વચનમાં કરી વાસ ।।
ઉન્મત્તાઈ અળગી કરી, થઈ રહ્યા દાસના દાસ ।। ર ।।
મોટાં સુખને પામવા, વામવા કષ્ટ કલેશ ।।
તેને વચનમાં વર્તતાં, નથી કઠણ કાંઈ લવલેશ ।। ૩ ।।
પામર પ્રાણી પામ્યા પ્રભુતા, રહી હરિ આજ્ઞા અનુસાર ।।
આદ્યે અંત્યે મધ્યે મોટા થયા, તે તો વચનથી નિરધાર ।। ૪ ।।
સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞાલોપ ।।
રાજી કરવાનું રહ્યંુ પરું, પણ કરાવિયે નહિ હરિને કોપ ।। પ ।।
મોટપ્ય માનવી કેમ મળે, વાઢી કાઢે વચનનાં મૂળ ।।
સુખ થાવાનું શાનું રહ્યું, થયું સામું સો ઘણું શૂળ ।। ૬ ।।
અલ્પ સુખ સારુ આગન્યા, લોપે છે શ્રીહરિતણી ।।
પરમ સુખ કેમ પામશે, ભાઈ ધારજો તેના ધણી ।। ૭ ।।
વસી નગર નરેશને, વેર વાવરે નરનાથશું૯ ।।
નિષ્કુળાનંદ કહે નરસું, એણે કર્યું એના હાથશું ।। ૮ ।।