માની વચન મોટા થયા કઈજી, જે મોટપ્ય કહેતાં કહેવાય નહીંજી

તેહ પામ્યા વા’લાને વચને રહીજી, એ પણ મર્મ સમજવો સહીજી

સહી સાબિત કરી શિરસાટે, રહ્યા વચનમાં કરી વાસ ।।

ઉન્મત્તાઈ અળગી કરી, થઈ રહ્યા દાસના દાસ ।। ર ।।

મોટાં સુખને પામવા, વામવા કષ્ટ કલેશ ।।

તેને વચનમાં વર્તતાં, નથી કઠણ કાંઈ લવલેશ ।। ૩ ।।

પામર પ્રાણી પામ્યા પ્રભુતા, રહી હરિ આજ્ઞા અનુસાર ।।

આદ્યે અંત્યે મધ્યે મોટા થયા, તે તો વચનથી નિરધાર ।। ૪ ।।

સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞાલોપ ।।

રાજી કરવાનું રહ્યંુ પરું, પણ કરાવિયે નહિ હરિને કોપ ।। પ ।।

મોટપ્ય માનવી કેમ મળે, વાઢી કાઢે વચનનાં મૂળ ।।

સુખ થાવાનું શાનું રહ્યું, થયું સામું સો ઘણું શૂળ ।। ૬ ।।

અલ્પ સુખ સારુ આગન્યા, લોપે છે શ્રીહરિતણી ।।

પરમ સુખ કેમ પામશે, ભાઈ ધારજો તેના ધણી ।। ૭ ।।

વસી  નગર નરેશને, વેર  વાવરે નરનાથશું૯ ।।

નિષ્કુળાનંદ કહે નરસું, એણે કર્યું એના હાથશું ।। ૮ ।।