સાચા શુદ્ધ સંતનો સમાગમ કયાંથીજી, થોડે પુણ્યે કરી એ થાતો નથીજી
જેણે કરી છુટિયે મહાદુઃખમાંથીજી, જરૂર જીવના એ સાચા સંગાથીજી
સાચા સંગાથી સંત છે, જાણો જીવના જગમાંય ।।
ભવસાગરમાં ડૂબતાં, સાચા સંત કરે છે સા’ય ।। ર ।।
વા’રુ છે વસમી વેળાતણા, જયારે આવે પળ વળી આકરી ।।
તે સમે સાચા સંત સગા, કાં તો સગા છે શ્રીહરિ ।। ૩ ।।
તેહ વિના ત્રિલોકમાં, નથી જીવને ઠરવા ઠામ ।।
આદ્યે અંત્યે મધ્યે માનજો, સર્યા સહુનાં એથી કામ ।। ૪ ।।
તે સંત શાણા શુભગુણે, જેમાં અશુભ ગુણ નહિ એક ।।
પરઉપકારી સગાં સહુનાં, ધર્મ નિયમવાળા વિશેક ।। પ ।।
કામ ક્રોધ લોભે કરી, જેને અંતરે નથી ઉત્તાપ ।।
નિર્માની નિઃસ્પૃહી નિઃસ્વાદી, નિર્મોહી વળી નિષ્પાપ ।। ૬ ।।
જકતદોષ જેના જીવમાં, વળી અડ્યો નથી અણુ ભાર ।।
એવા સંત શુદ્ધ શિરોમણિ, ત્રિલોકના તારનાર ।। ૭ ।।
વચન ન લોપે વાલાતણું, હોય પંડ્યમાં જયાં લગી પ્રાણ ।।
નિષ્કુળાનંદ એવા સંતના, શ્રીહરિ કરે છે વખાણ ।। ૮ ।।