રાગ :- પરજ
નિરધારી છે નિગમે વાતરે સંતો નિર૦ । થાયે ભક્તિયે હરિ રળિયાતરે; સંતો૦ ।। ટેક .
ભક્તિ વિના ભવ રોગ ન નાસે, રહે દુઃખ દિન રાત ।
ભક્તિ વિના ભટકણ ન ભાગે, સમઝી લેવું સાક્ષાતરે; સંતો૦ ।।૧।।
ભક્તિ કરીને ભક્ત હરિના, ઘણીઘણી ઉવૈયા ઘાત ।
ભક્તિ કરી ભારે ભાગ્ય જાગેછે, નથી એ વાત અખ્યાતરે; સંતો૦ ।।૨।।
ભક્તિ કરે તે ભક્ત હરિના, જોવી નહિ તેની જાત ।
ધન્ય ધન્ય એ જનનું જીવન, જેણે ભક્તિ કરી ભલી ભાતરે; સંતો૦ ।।૩।।
ભક્તિ કરી ખરી મોજ જેણે લીધી, તેણે થયા ભક્ત એ એકાંત ।
નિષ્કુલાનંદ કે’ નાથ મળીને, દીધી ભક્તિની દાતરે; સંતો૦ ।।૪।। પદ ।।૧૧।।