રાગ:- પરજ

જયાન ન કરવું જોઇરે સંતો જયાન૦, અતિ અંગે ઉન્મત્ત હોઇરે; સંતો૦ ।। ટેક .

જો જાયે ૩જાવે તો કરીયે કમાણી, સાચવી લાવિયે સોઇ ।

નહિતો બેશી રહિયે બારણે, પણ ગાંઠની ન આવીએ ખોઈરે; સંતો૦ ।।૧।।

જો ડૂબકી દિયે દરિયામાં, મોતીસારુ મને મોહી ।

તો લાવિયે મુક્તા મહામૂલાં, પણ નાવિયે દેહ ડબોઈરે; સંતો૦ ।।૨।।

જો જાય જળ જાહ્નવી ના’વા, તો આવીયે કિલબિશ ધોઈ ।

પણ સામુ ન લાવીયે સમઝી, પાપ પરનાં તે ઢોઈરે; સંતો૦ ।।૩।।

તેમ ભક્ત થઈને ભક્તિ કરીયે, હરિચરણે ચિત્ત પ્રોઈ ।

નિષ્કુલાનંદ કે’ નર ઘર મૂકી, ન જીવીયે જનમ વગોઈરે; સંતો૦ ।।૪।। પદ ।। ૧૦ ।।