રાગ:- બિહાગડો
ભક્તિનિધિનો ભંડારરે સંતો ભક્તિ, તેને શું કહું હું વારમવારરે; સંતો૦ ।
ભક્તિ કરીને કંઇ સુખ પામ્યા, નર અમર અપાર ।
સુર નર મુનિજન સૌ કોઇ મનમાં, સમજયા ભક્તિમાં સારરે; સંતો૦ ।।૧।।
ઋષિ તપસી વનવાસી ઉદાસી, ભાળે ભક્તિમાં ભાર ।
જાણે સેવા કેમ મળે હરિની, અંતરે એવો વિચારરે; સંતો૦ ।।૨।।
આદિ અંતે મધ્યે મોટપ્ય પામ્યા, તેતો ભક્તિ થકી નિરધાર ।
ભક્તિ વિના ભટકણ ન ટળે, ભમવાનું ભવ મોઝારરે; સંતો૦ ।।૩।।
તેહ ભક્તિ પ્રગટની પ્રીછજો, અતિ અનુપ ઉદાર ।
નિષ્કુલાનંદ નકી એ વારતા, તેમાં નહિ ફેરફારરે; સંતો૦ ।।૪।। પદ ।।૭।।