રાગ:- આશાવરી
સંતો અણસમઝે એમ બને, તેતો સમઝુને સમઝવું મનેરે; સંતો૦ । ટેક
ભક્તિ ન ભાવે વેર વસાવે, ગાવે દોષ નિશદિને ।
અર્થ ન સરે કરે અપરાધ, થાય ગુન્હેગાર વણગુન્હેરે; સંતો૦ ।।૧।।
શ્રીખંડ સદા શિતળ સુખકારી, તેને દઝાડે કોઇ દહને ।
અગર પણ થાય અંગારા, પ્રજાળે પ્રવરી વનેરે; સંતો૦ ।।૨।।
કલ્પતરુ મળે માગ્યો કુઠારો, દુર્મતિ થાવા દુઃખને ।
જેવું ઇચ્છે તેવું મળે એમાંથી, નો તપાસે એ સુરતરનેરે; સંતો૦ ।।૩।।
એમ શઠ સુખદથી સારૂં ન ઇચ્છે, કોઇ પ્રગટ્યે થર પાપને ।
નિષ્કુલાનંદ કે’ ન જોવું એનું, પ્રકટ ભજવા આપનેરે; સંતો૦ ।।૪।। પદ ।।૩।।