રાગ:- ધન્યાસરી

પ્રસન્ન કરવા ઘણું ઘનશ્યામજી, કરો હરિભક્તિ અતિ હૈયે કરી  હામજી ।

જે ભક્તિ અતિ કા’વે નિષ્કામજી, ધર્મસહિત છે સુખનું ધામજી ।।૧।।

રાગ :- ઢાળ

ધામ સર્વે સુધર્મ સોતી, ભક્તિ અતિ ભક્ત કરે । તેને તોલે ત્રિલોક માંહિ, સમઝી જાુવો નહિ નિસરે ।।૨।।

જેણે આલોકસુખની આશા મેલી, પરલોક સુખ પણ પરહર્યાં । એક ભક્તિ ભાવી ભગવાનની, વિષયસુખ વિષ સમ ર્યાં ।।૩।।

જેણે પંચ વિષયશું પ્રિત ત્રોડી, જોડી પ્રીત ભક્તિ કરવા । તજી મમત તન મનની, તેને રહી કહો કેની પરવા ।।૪।।

રાજી કુરાજીયે કોઇને, નવ વણસે સુધરે વાત । નથી એથી સુખ મળવા ટળવા, જોઇએ હરિ રાજી રળીયાત ।।૫।।

પરબ્રહ્મને પ્રસન્ન કરવા, કરે ભક્તિ માહાત્મ્યે સહિત । ધરી દૃઢ ટેક એક અંતરે, તે ફરે નહિ કોઈ રીત ।।૬।।

નિષ્કપટ નાથની ભગતિ, સમઝો સુખ ભંડાર છે । એની બરાબરી નોય કોઇ બીજું, એતો સર્વે સારનું સાર છે ।।૭।।

સાચી ભક્તિ ભગવાનની, સર્વે શિર પર મોડ છે । બીજાં સાધન બહુ કરે, પણ જાુઓ એની કોઇ જોડ છે? ।।૮।।

જેમ ગળપણમાં શર્કરા ગળી, વળી રસમાં સરસ તુપ । જેમ અંબરે સરસ જરકસી, તેમ ભક્તિ અતિ અનુપ ।।૯।।

એવી અનુપમ ભગતિ, ભાવી ગઇ જેને ભીંતરે ।  નિષ્કુલાનંદ કે’ સર્વે સાધન, એની સમતા કોણ કરે ।।૧૦।। કડવું ।।૬।।