રાગ:- ધન્યાસરી
પ્રગટ પ્રભુની ભક્તિ વખાણીજી, અતિશય મોટપ્ય ઉરમાંયે આણીજી ।
સહુથી સરસ શિરોમણી જાણીજી, એહ ભક્તિથી તર્યા કૈક પ્રાણીજી ।।૧।।
રાગ :- ઢાળ
પ્રાણીને પરમ પદ પામવા, ભક્તિ હરિની છે ભલી । સર્વેથકી સરસ સારૂં, કરી દિયે કામ એ એકલી ।।૨।।
ેમ ત ટાળવા રાત્યનું, ઉગે ઉડુ આકાશે અનેક । પણ રવિ વિનાની રજની, કહો કાઢી શકે કોણ છેક ।।૩।।
તેમ ભક્તિ ભગવાનની, સમઝો સૂરજ સમાન । અતિ અંધારૂં અહંતાતણું, તે ભક્તિથી ટળે નિદાન ।।૪।।
નમ્રતા ને જે નમવું, દમવું દેહ મન પ્રાણને । તે ભક્તિ વિના ભાવે નહિ, ભાવે હમેશ થાવું હેરાણને ।।૫।।
દુર્બળતા ને દીન રે’વું, રીબને ગરજુ ઘણું । તે ભક્તિ વિના નવ ભાળિયે, જો જોએ પર પોતાપણું ।।૬।।
ભક્તિ વિના ભારે ભારનો, માથે રહી જાય મોટલો । જાણું કમાણી કાઢશું, ત્યાંતો ઉલટો વળ્યો ઓટલો ।।૭।।
જેમ ચોબો છબો થાવા ચાલિયો, દશો ચાલ્યો વિશો થાવા વળી । તે નિસર્યો મૂળગી નાતથી, રહ્યો ભટકતો નવ શક્યો ભળી ।।૮।।
તેમ ભક્તિ હરિની ભાગ ન આવી, આવી ભેખ લઇ ભૂંડાઇ ભાગ । અતિ ઉલટું અવળું થયું, થયો મૂળગો નર મરી નાગ ।।૯।।
તેમ ભક્તિ ન કરી ભગવાનની, કરી ભૂંડાઇ તે ભરપૂર । નિષ્કુલાનંદ એ નરને, થયું જયાન જાણો જરૂર ।।૧૦।। કડવું ।।૪૦।।