રાગ:- ધન્યાસરી
ફૂલ્યો ન ફરે ફોગટ વાતેજી, ભક્તિ હરિની કરે ભલી ભાતેજી ।
ભૂલ્યો ન ભમે ભક્તિની ભ્રાંતેજી, નક્કી વાત ન બેસે નિરાંતેજી ।।૧।।
રાગ :- ઢાળ
નિરાંત નહિ નક્કી વાત વિના, રહે અંતરે અતિ ઉતાપ । ઉર વિકાર વિરમ્યા વિના, નવ મનાય આપ નિષ્પાપ ।।૨।।
દાસપણામાં જે દોષછે, તે દૃગ આગળ દેખે વળી । માટે મોટપ્ય માને નહિ, સમઝેછે રીત એ સઘળી ।।૩।।
ખોટ્ય મોટી એ ખોવા સારૂં, કરે ભક્તિ હરિની ભાવે ભરી । જાણે ભક્તિ વિના ભાગશે નહિ, ખોટ એહ ખરાખરી ।।૪।।
માટે અતિ આગ્રહ કરી, હરિભક્તિ કરે ભરપૂર । ભક્તિમાં જેથી દ ભંગ પડે, તેથી રહે સદા દૂર ।।૫।।
જાણે જે ઉદ્યમે જન્મોજન્મનું, ારિદ્રય દૂર થાય । તે ઉદ્યમની આડી કરે, તેથી વેરી કોણ કે’વાય ।।૬।।
તેમ ભક્તિથકી ભવદુઃખ ભાગે, જાગે ભાગ્ય મોટું જાણવું । તે વિમુખની વાત સાંભળી, અંગે આળસ નવ આણવું ।।૭।।
જેમ સહુસહુને સ્વારથે, સાચું રળેછે સરવે । તેમ હરિભક્તને, કસર ન રાખવી ભક્તિ કરવે ।।૮।।
મોટી કમાણી જાણી જન, તન મને રે’વું તતપર । બની વાત જાય બગડી, જો ચૂકિયે આ અવસર ।।૯।।
જે તકે જે કામ નિપજે, તે વણ તકે નવ થાય । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, એ પણ સમઝવું મનમાંય ।।૧૦।। કડવું ।।૩૬।।