રાગ:- ધન્યાસરી

પ્રગટ પ્રભુની જેને ભક્તિ ન આવડીજી, તેને તો ભૂલ્ય આવે ઘડી ઘડીજી ।

માગે જો મોળ્ય તો લાવે મોજડીજી, એવી અવળાઇની ટેવ જેને પડીજી ।।૧।।

રાગ :- ઢાળ

ટેવ પડી અવડાઇની, સવળું કરતાં સુઝે નહિ । એવા ભક્તની ભગતિ, સુખદાયક નો’યે સહિ ।।૨।।

પાણી માગે તો આપે પથરો, અન્ન માગે તો આપે અંગાર । વસ્ત્ર માગે તો આપે વાલણો, એવી અવડાઇનો કરનાર ।।૩।।

આવ્ય કહે ત્યાં આવે નહિ, જા કહે ત્યાં ન જવાય । એવા ભક્તની ભગતિ, અતિ અવળી કે’વાય ।।૪।।

બેસ્ય કહે ત્યાં બેસે નહિ, ઉભો રહે કહે ત્યાં દિયે દોટ । એવા સેવક જે શ્યામના, તે પામે નહિ કેદી મોટ ।।૫।।

વારે ત્યાં વળગે જઇ, વળગાડે ત્યાં નવ વળગાય । એવા ભક્ત ભગવાનથી, સુખ ન પામે કહું કાંય ।।૬।।

જયાંરાખે ત્યાં નવ રહી શકે, નવ રાખે ત્યાં રે’વાય । ગ્રહે કહે તો ગ્રહી નવશકે, મુક્ય કહે તો નવ મુકાય ।।૭।।

એવા અનાડી નરને, મર મળ્યા છે પ્રભુ પ્રગટ । પણ આઝો આવે કેમ એહનો, જે ઘેલી રાખશે ઘટે પટ ।।૮।।

વળી ૩બા’વરીને કહે બાળીશમાં, ઘણી જતન રાખજે ઘરની ।તેણે મેલી અગ્નિ મોભથી, નવ માની શીખામણ નરની ।।૯।।

એવી અવળાઇ આદરી, કોઇ ભક્ત કરે ભક્તાઇ । નિષ્કુલાનંદ એ નરને, નવ થાય કમાણી કાંઇ ।।૧૦।। કડવું ।।૧૮।।