રાગ:- ધન્યાસરી

એની સેવા કરવી શ્રદ્ધાયેજી, તેહમાં કસર ન રાખવી કાંયજી ।

મોટો લાભ માની મનમાંયજી, તકપર તત્પર રે’વું સદાયજી ।।૧।।

રાગ :- ઢાળ

તત્પર રે’વું તક ઉપરે, પ્રમાદ પણાને પરહરી । આવ્યો અવસર ઓળખી, કારજ આપણું લેવું કરી ।।૨।।

અવસરે અર્થ સરે સઘળો,  ણ અવસરે વણસે વાત । માટે સમો સાચવી, હરિને કરવા રળિયાત ।।૩।।

જેમ લોહ લુહાર લૈ કરી, ઓરેછે અગ્નિમાંઇ । પણ ટેવ ન રાખે જો તાતણી, તો કામ ન સરે કાંઇ ।।૪।।

એમ પામી પ્રભુ પ્રગટને, સમાપર રે’વું  સાવધાન । જોઇ મરજી મહારાજની, ભલી ભક્તિ કરવી નિદાન ।।૫।।

જેમ તડિત તેજે મ ોતી પરોવવું, તે પ્રમાદી કેમ પરોવી શકે । પરોવે કોઇ હોય પ્રવીણ પૂરા, તેહ તરત તૈયાર રહ ે તકે ।।૬।।

એમ અલ્પ આયુષ્ય આપણી, તેમાં પ્રગટ પ્રભુ પ્રસન્ન કરો । જાયે પલ પાછી જડે નહિ, થાય એવાતનો બહુ ખરખરો ।।૭।।

જે ખેડુ કોઇ ખેતરમાં, વણ તકે વાવવા જાય । તે ઘેરે ન લાવે ભરી ગાડલાં, મર કરે કોટી ઉપાય ।।૮।।

તેમ પ્રગટ પ્રમાણ પ્રભુને મૂકી, ચૂકી સમો થાય સાવધાન । તે જાણે કમાણી કરશું, પણ સામું થયું જયાન ।।૯।।

એહ મર્મ વિચારી માનવી, જાણી લેવી વાત જરૂર । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, રહિયે હરિ હોય ત્યાં હજૂર ।।૧૦।। કડવું ।।૨૪।।