રાગ:- ધન્યાસરી

નિરધાર ન થાય અપાર છે એવાજી, કહો કોણ જાય પાર તેનો લેવાજી ।

નથી કોઇ એવી ઉપમા એને દેવાજી, જેહ નાવે કહ્યામાં તો કહિયે એને કેવાજી ।।૧।।

રાગ :- ઢાળ

કહેવાય નહિ કોઇ સરખા, એવા મનુષ્યાકાર મહારાજ । એને મળતે સહુને મળ્યા, એને સેવ્યે સર્યાં સહુ કાજ ।।૨।।

એને નિરખ્યે સહુ નિરખ્યા, એને પૂજયે પૂજયા સહુ દેવ । એને જમાડ્યે સહુ જમ્યા, થઇ સૌની એને સેવ્યે સેવ ।।૩।।

એના થયે  થયાં કામ સરવે, એને ભજયે ભજી ગઇ વાત । એનાં દરશ સ્પર્શ કરી, સર્વે કાજ સર્યાં સાક્ષાત ।।૪।।

સહુની પાર સહુને સરે, નર અમરને અગમ અતિ । એવી મૂર્તિ જેને મળી, તેને થઇછે પૂરણ પ્રાપતિ ।।૫।।

સર્વે કાર્ય તેનું સરિયું, રહ્યું નહિ અધુરૂં એક । તે પ્રગટ મૂર્તિ પ્રસંગે, વળી જાય વડો વિશેક ।।૬।।

પ્રગટ પ્રસન્ન પ્રગટ દર્શન, પ્રગટ કે’વું સુણવું વળી। અતિ મોટી એહ વારતા, વણ મળ્યાની માનો મળી ।।૭।।

રૂહે વાત આવી હાથ જેને, તેને કમી કહો કાંઇ રઇ? । પારસ ચિંતામણી પામતાં, સર્વે વાતની સંકોચ ગઇ ।।૮।।

પામ્યા પરમ પદ પ્રાપતિ,  અતિ અણતોળી અમાપ । તે કે’વાય નહિ સુખ મુખથી, વળી થાય નહિ કેણે થાપ ।।૯।।

અખંડ આનંદ અતિ ઘણો, તેતો પ્રગટ મળે પમાયછે । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, એહ સમ અવર કોણ થાયછે? ।।૧૦।। કડવું ।।૨૩।।