રાગ:- ધન્યાસરી
સુખ અતોલ પામવા માટજી, તન મન ધન મર જાય એહ સાટજી ।
તોય ન મુકીયે એહ વળી વાટજી, તો સર્વે વારતા ઘણું બેસે ઘાટજી ।।૧।।
રાગ :- ઢાળ
ઘાટ બેસે વાત સર્વે, વળી સરે તે સર્વે કામ । કેડે ન રહે કાંઇ કરવું, સેવતાં શ્રીઘનશ્યામ ।।૨।।
સહુના સ્વામી જે શ્રીહરિ, સહુના નિયંતા જે નાથ । સહુના આશ્રય એહ સેવતાં, સદાય થાય સનાથ ।।૩।।
દેવના દેવ જે અખંડ અભેવ, અશર્ણશર્ણ સૌના આધાર । સર્વે સુખના વળી સુખનિધિ, સર્વે સારનું પણ સાર ।।૪।।
સવ રસના રસરૂપ અનુપ, સર્વે ભૂપના પણ ભૂપ । સર્વે તેજના તેજ છે એજ, સર્વે રૂપના પણ રૂપ ।।૫।।
પરાપાર અપાર એવા, જેની સેવા કરે સહુ કોય । ઇશના ઇશ પરમેશ્વર પોતે, એહ સમ અન્ય નહિ હોય ।।૬।।
પુરૂષોત્તમ પરબ્રહ્મ પૂરણ, સુખદ સર્વના શ્યામ । તેહ નરતન ધરી નાથજી, સુખ દેવા આવે સુખધામ ।।૭।।
એહ સુર સુરેશ સરિખા નહિ, નહિ ઇશ અજસમ એહ । પ્રકૃતિ પુરૂષ સરિખા નહિ, નહિ પ્રધાન પુરૂષ સમ તેહ ।।૮।।
એવા અંતરજામી અવની મધ્યે, આપે આવેછે અલબેલ । ત્યારે સહુ નરનારને, સેવવા જેવા થાયછે સહેલ ।।૯।।
હોય મનુષ્યાકાર અપાર મોટા, જેની સામર્થીનો નહિ પાર । નિષ્કુલાનંદ એહ નાથનો, કોણ કરી શકે નિરધાર ।।૧૦।। કડવું ।।૨૨।।