રાગ:- ધન્યાસરી
નિરવિઘન છે નાથની ભક્તિજી, જેમાં વિઘન નથી એક રતિજી ।
સમઝીને કરવી સદાય શુભ મતિજી, તો આવે સુખ અલૌકિક અતિજી ।।૧।।
રાગ :- ઢાળ –
અલૌકિક સુખ આવે, જો ભાવે ભક્તિ ભગવાનની । તે વિના ત્રિલોક સુખને, માને શોભા મીયાંનની ।।૨।।
મૂરતિ મૂકી મન બીજે, લલચાવે નહિ લગાર । અન્ય સુખ જાણ્યાં ફળ અર્કનાં, નિશ્ચે નિરસ નિરધાર ।।૩।।
એમ માની માને સુખ ભાવમાં, કરે ભક્તિ ભાવે સહિત । ભક્તિ વિના બ્રહ્મલોક લગી, ચાહે નહિ કાંઈ ચિત્ત ।।૪।।
અનન્ય ભાવે કરે ભગતિ, મન વચન કર્મે કરી । ભાવે નહિ હરિ ભક્તિ વિના, એવી વાત અંતરમાં આવી ઠરી ।।૫।।
નિષ્કામ ભક્તિ નાથની, જેને કરવા છે મને કોડ । બીજા સકામ ભક્ત સમૂહ હોય, તોય હોય નહિ એની હોડ ।।૬।।
એવી ભક્તિને આદરે, જેમાં લોકસુખ નહિ લેશ । તેમ સુખ શરીરનું, ઇચ્છે નહિ અહોનેશ ।।૭।।
મેલી ગમતું નિજ મનનું, હાથ જોડી રહે હરિ હજાુર । સેવા કરવા ઘનશ્યામની, ભાવ ભિંતરમાં ભરપૂર ।।૮।।
ભાવે જેવું ભગવાનને, સમો જોઇ કરે તેવી સેવ । પણ વણ સમે વિચાર વિના, ત્યાર ન થાય તતખેવ ।।૯।।
એવા ભક્તની ભગતિ, વા’લી લાગે વા’લાને મન । નિષ્કુલાનંદ કહે નાથજી, તે ઉપર થાય પ્રસન્ન ।।૧૦।। કડવું ।।૫।।