(રાગ:-કડખો) શાંતિ પમાડે તેને સંત કહીએએ ઢાળ.

સાચા ભકતની રીત સર્વે સાચી સહી, સાચાં સર્વે આચરણ એનાં…સાચા

ખાતાં પીતાં સુતાં જાગતાં જાણિયે, ઉપદેશ રૂપ અનુપ તેનાં.સાચા ।। ૧ ।।

હાલતાં ચાલતાં જોતાં માંય જોવું ખરું, લેતા દેતાં બોલતામાં કળી લૈયે;

જાતાં આવતાં પાસ વાસ વસતાં, કેમ ન કળાય એહ કહો તૈયે. સાચા ।। ૨ ।।

કરતાં ન કરતાં હરતાં ફરતાં, ગાતાં વાતાં વળી હસતાં હોયે;

રોતાં ધોતાં પોતાં પે’રતાં પરખિયે, છતાં વકતાં જાણો સુખદ સોયે. સાચા ।। ૩ ।।

જે જે આચરણ સાચા સંત આચરે, તે તે સર્વે છે વળી સુખકારી;

અખંડ ધામમાં એ જ પોં’ચાડે, નિષ્કુળાનંદ કહે છે વિચારી.  સાચા ।। ૪ ।।