(રાગ:-કડખો) ‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ.
ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને, જેણે રાજી કર્યા રાધા રમાપતિ…ધન્ય
માન અપમાનમાં મન હટકયું નહિ રે, સમ વિષમે રહી એક મતિ. ધન્ય ।। ૧ ।।
સુખ દુઃખ સમતોલ સમઝ્યા સહી, અરિ મિત્રમાં રહી એક જ બુદ્ધિ;
સંપત્તિ વિપત્તિ સરખી સમ થઈ રે, સમઝ્યા સંત એમ વાત સુધી. ધન્ય ।। ૨ ।।
હાર જીત ને હાણ વૃદ્ધિ જાણો વળી, હરખ શોકમાં નવ હસે રુવે;
ગાંધર્વ શહેર સમ સુખ સંસારનાં રે, મૃગજળ જોઈ સુખરૂપ જળ ખુવે. ધન્ય ।। ૩ ।।
સ્વપ્નાની પૂજા પીડા સ્વપને રહી, તે જાગ્રતમાં એહ આવતી નથી;
નિષ્કુળાનંદ એમ સાચા સંત સમઝે રે, વિચારો સહુ કહું હું વાત કથી. ધન્ય ।। ૪ ।।