વૈરાગ્ય વિના તનસુખ ન તજાયજી, તનસુખ તજયા વિના હરિ ન ભજાયજી
હરિ ભજયા વિના ભકત ન નીપજાયજી, લીધી મેલી વાતે ભકતપણું લજાયજી
લજજા જાય આલોકમાં, પરલોકે પણ પહોંચે નહિ ।।
એવી ભકત આદરતાં, કહો ભાઈ કમાણી સહી ।। ૨ ।।
જેમ કેશરિયાં કોઈ કરી ચાલે, ઘાલે કાખમાં કોળી તરણની ।।
કામ પડે કો’ કેમ આવે, પ્રતીતિ એના મરણની ।। ૩ ।।
જેમ સતી ચાલી બા’રે બળવા, ભેળાં ભરી લિયે જળ માટલાં ।।
આગ્ય લાગે ઊઠી ભાગશે, હોલવી તરણનાં ત્રાટલાં ।। ૪ ।।
એમ ભકત થઈ ભગવાનનો, વળી કે’વાણો સહુથી ભલો ।।
પણ શરીર સુખરૂપી રાખિયો, મોટો મિયાંનો ગોખલો ।। ૫ ।।
જયારે વેચી હવેલી વિત્ત લઈ, ત્યારે આળિયાનો શો અર્થ છે ।।
પણ દગો છે એના દિલમાં, જે અંતે કરવો અનર્થ છે ।। ૬ ।।
એવા ભમરાળા ભકત ન થાયે, થાયે ભકત આગળ કહ્યા એવા ।।
જયારે સાત ભાત્યની કરી સુખડી, ત્યારે ન બગાડિયે કાચરિયે વિ’વા ।। ૭ ।।
દીધું આંધણ જયારે દૂધનું, તેહ માંહી મીઠું ઓરવું નહિ ।।
ખાતાં ન ખવાય દૂધ જાય, કહો તેમાં કમાણી સહી ।। ૮ ।।
ભલી ભકત આદરી, પામવા પુરુષોત્તમ સહી ।।
પછી પંડ સુખને ઇચ્છવું, એ તો વાત બને નહિ ।।૯।।
ખાવો ભૈરવ જપને જયારે, ત્યારે ખસતું ન મેલવું અંગ ।।
નિષ્કુળાનંદ જેમ દીવો દેખી, પાછો ન વળે પતંગ ।।૧૦।।