વળી કહું વાત હરિજનની અમળજી, નલરપુરીનો રાજા એક નળજી
રૂપ ગુણ શીલ ઉદાર નિર્મળજી, એવો વીરસેનનો સુત સબળજી
સબળ ને સત્યવાદી સુણી, દમયંતીએ વિચારી વાત ।।
વરવું છે એ નળને, બીજા પુરુષ તાત ને ભ્રાત તેહ વાત ।। ૨ ।।
ન જાણે તાત એહનો, રચ્યો સ્વયંવર તેહ વાર ।।
તેમાં રાજા તેડાવિયા, સહુ આવવા થયા તૈયાર ।। ૩ ।।
ત્યારે નારદે કહ્યું જઈ ઇન્દ્રને, ધર્મ અગ્ન સુણો વરુણ ।।
તમ જોગ્ય એ કન્યા ભીમની, સુણ્યા સર્વે એના મેં ગુણ ।। ૪ ।।
પણ એને વરવું છે નળને, એવી દઢ ધારી છે ટેક ।।
ટેક તજાવી તમે વરો, તો વળે વડો વશેક ।। પ ।।
નળ અંતરે નિરમળ છે, જેમ કહેશો તેમ કરશે ।।
તજી પ્રિય પોતાતણું, તમારું પ્રિય અનુસરશે ।। ૬ ।।
ત્યારે ચારે મળી કહ્યું નળને, તું કર્ય અમારાં વખાણ ।।
તું તારી નિંદા કરજે, તો અમને વરશે એહ જાણ ।। ૭ ।।
ત્યારે નળે કહ્યું જઈ દમયંતીને, ઇન્દ્ર અગ્નિ ધર્મ ને વરુણ ।।
એને વર્ય તું વેગે કરી, તો તારે તોલે આવે કહું કોણ ।। ૮ ।।
ત્યારે દમયંતી કહે એ દેવતા, હું તો વરી છું નળરાય ।।
હવે ડગાવું જો દિલને, તો પતિવ્રતાપણું જાય।। ૯ ।।
ત્યારે ઇન્દ્રાદિ ચારે નળ થયા, પલટાવી પોતાનો વેષ ।।
નિષ્કુળાનંદ કહે નાથ સમરી, ત્યાં આવ્યા નળ નરેશ ।।૧૦।।