રાગ ધોળ –
અલબેલા આગળે ઊદ્ધવજીરે કહેછે, પ્રમદાના પ્રાણ કોણ જાણે કેમ રહેછેરે; ઊદ્ધવ૦ ।।૧।।
નીર વિના નયણાં મ કેદિયે નદીઠાં, આંખડિયેથી આંસુ ઝરીઝરી પડેછે હેઠાંરે; ઊદ્ધવ૦ ।।૨।।
રોઈ રોઈ ખોયાછેરેદેહના રે હાલ, તમ વિના કૃપાનિધિ થઈછે કંગાલરે; ઊદ્ધવ૦ ।।૩।।
તમારા વિયોગ રોગે મણા નથી રાખી, ઝુરીઝુરી જુવતીરે પડીછે ઝાંખીરે; ઊદ્ધવ૦ ।।૪।।
પ્રાણ ગયાની પેર એનીરે મદીઠી, વા’લા વધામણી મેલોરે તમે મીઠીરે; ઊદ્ધવ૦ ।।૫।।
નિષ્કુલાનંદના નાથજીરે તમને, કહ્યું કર જોડી જેવું જણાણુંરે અમનેરે; ઊદ્ધવ૦ ।।૬।। પદ ।।૧૦।।