રાગ ગોડી –
શ્રી નાથ સાથે મન માનિયું, ઊદ્ધવ એ વિના અમે ન રહેવાયેહો । વાલાને વિયોગે વીતે પળ વળી, તેતો જુગ તુલ્ય જાયેહો; શ્રીનાથ૦ ।।૧।।
સુતાં બેઠાં સાંભરેછે સલુણો, સુખકારી શ્યામ સદાયેહો । ખાતાં પીતાં ખટકે હૃદયે, અલબેલો અંતરમાંયેહો; શ્રીનાથ૦ ।।૨।।
દર્શન વિના જેદલડુંદાઝેછે, તેતો કેને ન કહેવાયેહો । રૂવર કોયે ઓષડ ઊસતાદે, શરીર સુખ નવ થાયેહો; શ્રીનાથ૦ ।।૩।।
પ્રેમના પાશમાં પાડી ઊદ્ધવ અમને, ઘેરીને માર્યું છે ઘાયેહો । નિષ્કુલાનંદના નાથે નથી રાખ્યો, ઊગરવાનો ઊપાયેહો; શ્રીનાથ૦ ।।૪।। પદ ।।૮।।