રાગ: આશાવરી –

પ્રાણ મરે જો પ્રિતમ વિના, વળી પિયુ વિયોગે પે’લા જાજોરે ।  મગન થઈને હું માગુછું મનમાં, એવું બાઈ મારે થાજોરે; પ્રાણ૦ ।।૧।।

સખીરે મણિ નિગમતાં મણિધર જીવે, તેને તે સુખ સખી કયુંરે । ધનહારી નિર્ધન નર રે’તાંરે, તેને સુખ રતિ કયાં રહ્યુંરે; પ્રાણ૦ ।।૨।।

સખીરે જત ગયા પછી જતી મરે જો, સત ગયા પછી સતીરે ।  પત ગયા પછી કોય મરે જો, નગર ગયા પછી નગરપતિરે; પ્રાણ૦ ।।૩।।

સખીરે ફળ રહિત રંભા જે કોયે રહે, તેતો અર્થ શે આવેરે ।  નિષ્કુલાનંદના નાથ વિયોગે, માગ્યું મોત કયારે ન આવેરે; પ્રાણ૦ ।।૪।। પદ ।।૫।।