રાગ: આશાવરી –
પ્રાણ મરે જો પ્રિતમ વિના, વળી પિયુ વિયોગે પે’લા જાજોરે । મગન થઈને હું માગુછું મનમાં, એવું બાઈ મારે થાજોરે; પ્રાણ૦ ।।૧।।
સખીરે મણિ નિગમતાં મણિધર જીવે, તેને તે સુખ સખી કયુંરે । ધનહારી નિર્ધન નર રે’તાંરે, તેને સુખ રતિ કયાં રહ્યુંરે; પ્રાણ૦ ।।૨।।
સખીરે જત ગયા પછી જતી મરે જો, સત ગયા પછી સતીરે । પત ગયા પછી કોય મરે જો, નગર ગયા પછી નગરપતિરે; પ્રાણ૦ ।।૩।।
સખીરે ફળ રહિત રંભા જે કોયે રહે, તેતો અર્થ શે આવેરે । નિષ્કુલાનંદના નાથ વિયોગે, માગ્યું મોત કયારે ન આવેરે; પ્રાણ૦ ।।૪।। પદ ।।૫।।