સ્નેહગીતા જે જન ગાશેજી, સુણતાં સદ્ય આનંદ ઊપજાવશેજી ।
પ્રીતમની પ્રીતની રીત જો જણાવશેજી, સ્નેહી જનને સુધાસમ ભાવશેજી ।।૧।।
ઢાળ –
જણાવશે રીત પ્રીત કરી, હશે કાસલ તે કલાવશે । પછી સ્નેહીજન સજજ થઈને, ચિત્ત હરિ ચરણ લાવશે ।।૨।।
વળીદેહ ઈંદ્રિય મન પ્રાણની, કોઈ રુંધવાની રીત કરે । તો સર્વે સાધન મેલી મનનાં, પ્રીતે ચિત્ત હરિચરણે ધરે ।।૩।।
અંતઃકરણ ને ઈંદ્રિની વૃત્તિ, લોલુપ કિયાં નથી લોભતી । પ્રગટ મૂર્તિ વિના વળી, અન્ય સ્થળે પળ નથી થોભતી ।।૪।।
સર્વે વાસના ત્યારે ગળે, જયારે મળે મનોહર મૂરતિ । સાધન સર્વે થાય પુરાં, એમ ગાય સત્ય નિત્ય સુરતિ ।।૫।।
પ્રભુપદની પ્રીત વિના, વિકાર તે નવ વિસમે । વ્રેહ વિના વાસના ન બળે, અન્ય ઊપાયે શીદદેહદમે ।।૬।।
સ્નેહ સાચો સ્નેહી જનનો, શ્રીકૃષ્ણ સાથે કરજો । પ્રીત રીતે જો પંડ પડે, તોયે દિલમાંહિ માં ડરજો ।।૭।।
સ્નેહગીતા ગ્રંથ ગાવા, ઈચ્છા કરી અવિનાશ । નિષ્કુલાનંદને નિમિત્તદેઈ, કર્યો ગ્રંથ એહ પ્રકાશ ।।૮।।
એકાદશ પદને ચુંવાળીસ કડવે, કહી સ્નેહની કથા કથી । પંચદોયે કમ જે પાંચસે, છે ચરણ પુરાં ઓછાં નથી ।।૯।।
સર્વે ચરણે સ્નેહકથા, વરણવી વિવિધે કરી, હરિને મને હેતે સાંભળી, કરજો પ્રીત હરિ સાથે ખરી ।।૧૦।।
સંવત અઢાર બોતેરના, વૈશાખ શુદ ચતુરથી । હરિજનના હેત અર્થે, સ્નેહગીતા કહી કથી ।।૧૧।। કડવું ।।૪૪।।