વીરા નથી વિસરતી ઊદ્ધવ એહ વારતાજી, દિલડુંદાઝેછે એ સુખ સંભારતાંજી ।

વિસરતું નથી વળી અમને વિસારતાંજી, ચાલોને દેખાડીએ જયાં હરિ ગાયો ચારતાજી ।।૧।।

ઢાળ

ગાયો ચારતા ગોવિંદ જિયાં, તિયાં ઊદ્ધવને તેડી ગયાં । વનિતા વળી ટોળે મળી, સર્વે સ્થળ વનનાંદેખાડિયાં ।।૨।।

ઈયાં એણે અઘાસુર માર્યો, ઈયાં બ્રહ્માજીએ વત્સ હરિયાં । ઈયાં બેસી અન્ન જમિયા, ઈયાં વત્સ બાળક બીજાં કરિયાં ।।૩।।

આ સ્થળે એણે ગાયો ચારી, આ સ્થળે પાયા એને નીર । આ સ્થળે એ સ્નાન કરતા, સુંદર શ્યામ સુધીર ।।૪।।

આ ઠામે એણે અમને રોકયાં, આ ઠામે મહી લઈ લુટિયાં ।  આ ઠામે એણે અંબર તાણ્યું, તેણે કરી માંટ મારાં ફુટિયાં ।।૫।।

ઈયાં એણે વેણ વગાડી, ઈયાં રમાડ્યાં એણે રાસ જો । ઈયાં તજી ભાગી ગયા ભૂધર, ત્યારે અમે થયાં ઊદાસજો ।।૬।।

પછી ઈયાં જોયાં એનાં પગલાં, તિયાં લાધી અમને એની ભાળ ।  જુવતી સહિત જાતા જાણ્યા, વળી વળગાડી તેને ડાળ ।।૭।।

ઈયાં વશ કીધા અમે, ઈયાં આવ્યા હતા અલબેલ ।  ઈયાં રાસ ફરી રચિયો, પછી રમાડિયાં રંગરેલ ।।૮।।

ઊદ્ધવને સર્વે સ્થળદેખાડતાં, અતિ આંખડિયે આંસુ ઝરે ।  ઊદ્ધવ અમે કેમ કરીએ, એમ કહી કહીને રુદન કરે ।।૯।।

એવાં સુખ નથીદીધાં એણે, જે વિસાર્યાં પણ વિસરે ।  નિષ્કુલાનંદના નાથ વિયોગે, પાપી પ્રાણ પણ નવ નિસરે ।।૧૦।। કડવું ।।૩૬।।