છબીલોજીદઈ ગયા બાઈ છેહજી, જાણી જન અજ્ઞ આપણે અતિ સેહજી ।
મૂઢમતિ જોઈ અબળાનોદેહજી, શિયા ગુણ જોઈ રાખે આપણશું નેહજી ।।૧।।
ઢાળ –
શિયો ગુણ જાણી શ્યામળો, અલબેલો આપણશું આચરે । જોઈ જોઈને જોયું અંતે, સાર નવદીઠું સરે ।।૨।।
બાઈ અસન અતિ જડમતિ, તેતો શું સમઝિયે સ્નેહને । જાડાબોલી પાલવખોલી, તેણે કરી ન ગમી તેહને ।।૩।।
વાટે ઘાટે વનમાં વિચરૂં, વળી છુટે છેડે ફરીએ । એવા ગુણ જાણી આપણા, બાઈ હેત તોડ્યુંછે હરિએ ।।૪।।
સરવે જાતમાં જડ જંગલી, વળી તેથી જડ તેની જુવતી । બાઈ એવા કુળમાં ઊપન્યાં, તેહ ન સમજું સ્નેહ રતિ ।।૫।।
રૂપ રંગ અંગે નહિ આપણે, વળી પ્રિતમાંહિ પ્રીછું નહિ । એવાં કઠોર નઠોર નગણાં જાણી, નંદલાડીલે તજયાં લહિ ।।૬।।
બાઈ વનચરિયો નિર્લજજ ફરિયો, વળી વ્યભિચાર ભાવે એને ભજી । એવા ગુણ જાણી આપણા, બાઈ તેહ સારૂં તેણે તજી ।।૭।।
કયાં પારસ ને કયાં પથરો, કયાં કાચ ને કયાં કંચન । એહ આગળ બાઈ એમ આપણે, તેણે માન્યું નહિ એનું મન ।।૮।।
દૈવ જોગેદોયજદહાડા, પ્રકટ્યો હતો થર સુખનો । પલટિ પળ ને પ્રિયે પરહર્યો ં,દઈ ગયા દિવસદુઃખનો ।।૯।।
વળી અવગુણ જોયા આપણા, ના’વ્યો સંદેશો નવ લહી સારને । નિષ્કુલાનંદને નાથે સજની, વિસારી બાઈ વ્રજનારને ।।૧૦।। કડવું ।।૨૪।।