એ દિન જાયે બહુ દિલદાઝતાંજી, ભૂલી શુદ્ધ ભામિની હરિ સંગે હેત બાંધતાંજી ।
વિયોગે વિલખે રુવે ધુમ મષે રાંધતાંજી, એમ અહોનિશ વીતે પિયુને આરાધતાંજી ।।૧।।
ઢાળ –
અલબેલાને આરાધતાં, અતિ વ્યાકુળ થાયે વનિતા । જાણે જાઉં વનમાં જીવન હશે, એમ અંતરે થઈ આતુરતા ।।૨।।
ગોરસ રસ ભરી ગોળીયે, મહી વેચવાનો મષ લઈ । પછી કુંજકુંજમાં કામિની, જીવનને ગોતે જઈ ।।૩।।
કયાં હશે બાઈ કૃષ્ણ કહોને, એમ માંહોમાંહિ પુછે મળી ।જયારે ખબર ન પામે ખોળતાં, ત્યારે વલવલે વિલખે વળી ।।૪।।
કહેઆજ વનમાં ક્રિડા કરતા, કહે આજ વનમાં રાસ રમિયા । તેહજ વનમાં જીવન જાતાં, સર્વે સ્થળ ખાવા થયાં ।।૫।।
જેમજેમ વન જુવે જુવતી, તેમતેમ કૃષ્ણ સાંભરે । વિરહ વાધે અંગ બાધે, પછી આંખડિયે આંસુ ઝરે ।।૬।।
સજજન થોડા સાલે શરીરે, અંગે સાલે ઘણાં એધાંણ । સંયોગમાં એ નવ જણાએ, પણ વિયોગે વિલખે પ્રાણ ।।૭।।
એમ વૃક્ષ વેલી વન સરવે, ઘણું શોધતાં સંધ્યા પડે । પણ કૃષ્ણ વસે મથુરાં માંહિ, તે વનમાં જોતાં કેમ જડે ।।૮।।
એમ વન જોઈને જુવતી, વળી ભવનઆવી ભામિની । રાજ વિના કાંઈ કાજ ન સુઝે, જેને લાગી લગન શ્યામની ।।૯।।
પ્રાણ પ્યારાની પ્રિત લાગી, તેણે ત્યાગી તનની આશ જો । નિષ્કુલાનંદ એહ સ્નેહે નારી, પડી પ્રેમને પાશ જો ।।૧૦।। કડવું ।।૨૦।।