દોહા –
પુરૂષોત્તમ પધારિયા, સર્વે અવતારના આધાર । અગણિત જીવ આ જગતના, તે સહુની લેવા સાર ।।૧।।
સ્થૂળ સૂક્ષ્મ જે જળે સ્થળે, જીયાં જીયાં રહ્યા’તા જન । તિયાં તિયાંથી તારિયા, આવી ભૂમિપર ભગવન ।।૨।।
કોઈ પ્રકારનો પ્રાણધારી, પામિયા જે પ્રસંગ । તે સહુ સુખીયા થયા, ગયા અક્ષરે થૈ શુદ્ધ અંગ ।।૩।।
જેમ અર્કને ઊગવે કરી, રહે નહિ અણુએ અંધાર । તેમ સહજાનંદ સૂર્યથી, જન પામિયા સુખ અપાર ।।૪।।
ચોપાઈ –
બહુ અવતારના જે દાસરે, તેની પુરી કરવાને આશરે । ધર્યું રૂપ અલૌકિક એવુંરે, સહુને પૂજવા સેવવા જેવુંરે ।।૫।।
સહુ લોકને આવિયો લાગરે, મળ્યો મહાસુખ લેવાનો માગરે । મત્સ્યાદિકના રહ્યા’તા મુંઝાઈરે, સેવી સુખ લેવા મનમાંઈરે ।।૬।।
તે સહુનું ઊઘાડિયું બારરે, નાના મોટાનું એકજ વારરે । લિયો લાવો દાવો ભલો આવ્યોરે, આવ્યો અવસર આજ મન ભાવ્યોરે
જેવી સમૃદ્ધિ જેવી સામગરિરે, તેવે પૂજો પ્રસન્ન થાશે હરિરે । અશન વસન ભૂષણે ભાવ ભરીરે, પૂજો ફળ ફુલ મૂળ કંદે કરીરે ।।૮।।
જળ દળ જે જે કાંઈ મળેરે, પૂજો પૂજાશે આજ સઘળેરે । કુંકુમ કસ્તુરી કપૂર કેસરરે, અર્ઘ્ય અગર ચંદન અત્તરરે ।।૯।।
ધન ધાન્ય વૃક્ષને વાહનેરે, ગાય ગવા મહિષી સદનેરે । વાડી ખેત્ર વસુંધરા વળીરે, સેજ પલંગ પાથરણાં મળીરે ।।૧૦।।
ગાદી તકીયા ઓછાડ ઓસિસેરે, જેજે આપશો તે આજ લેશેરે । કમળનાળ ડોડાં ડોડી પાન રે, લઈ રાજી થાશે ભગવાનરે ।।૧૧।।
દુધ મધ દહીં મહી વળીરે, ઘી ગોળ શર્કરા ગળીરે । ઈક્ષુદંડ ખાંડ ને ખારેક રે, એહ આદી વસ્તુ જે અનેકરે ।।૧૨।।
પાન બીડી લવીંગ સોપારીરે, જાયફળ એલા તજ સારીરે । એહ આદી જમવાનાં જેહરે, આવે ઊત્તમ પૂજવામાં તેહરે ।।૧૩।।
જેજે શુધ્ધ વસ્તુ સુખદાઈરે, તેતે આવે સર્વે સેવામાંઈ રે । એવો આજનોછે અવતારરે, સહુ જીવને સુખ દેનારરે ।।૧૪।।
હળી મળી પાસે રહીયેરે, પગ પૂજી સ્પર્શી સુખ લૈયેરે । એમ સહુને બહુ સુગમરે, થયા પોતે તે પૂરણ બ્રહ્મરે ।।૧૫।।
સર્વે અવતારનો જે સંકોચરે, ભાગ્યો ભકતનો ન રાખી પોચરે । મત્સ્ય કચ્છ વરાહ નરસગરે, તેતો મનુષ્યથી વિજાતિ અંગરે ।।૧૬।।
સજાતિ વિના સુખ ન આવેરે, માટે નરપ્રભુ ભકતને ભાવેરે । ધરે નરતન હોય નરેશરે, તોય બહુને ન હોયે ઊપદેશરે ।।૧૭।।
વિપ્ર ક્ષત્રિ ન સાંભળે વાતરે, વૈશ્ય શુદ્ર કરે વાત ઘાતરે । માટે આ જે લીધો અવતારરે, શોધી સારતણું ઘણું સારરે ।।૧૮।।
સૌને સુગમ અગમ નહિ અણુંરે, સર્વે આગમે નિગમે ઘણુંરે । થયા એવા પોતે પૂર્ણકામરે, પુરી સર્વે જીવની હામરે ।।૧૯।।
તોય વળતું વિચાર્યુ છે એમરે, બહુ જીવ ઊધ્ધરે કેમરે । દઈ દર્શન દોષ નિવારૂંરે, તેણે પામે પરમ ધામ મારૂંરે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે એકાદશઃ પ્રકારઃ ।।૧૧।।