દોહા-
મોટી મે’ર કરી હરિ, પધારિયા પૂરણકામ । અનેક જીવને આપવા, પોતાનું પરમ ધામ ।।૧।।
દયાનિધિ દયાકરી, જીવ જકતના ઊપર જોર । તાન એક જીવ તારવા, ધારિ વપુ ધર્મકિશોર ।।૨।।
અહોનિશ એ ઊપાયમાં, રહ્યા છે રાજ અધિરાજ । અમિતને અભય કરવા, સાપવા સુખ સમાજ ।।૩।।
પડતું મેલ્યું પૂજા સ્પર્શનું, દરશનનું રાખ્યું દાન । જે જન નિરખે નાથને, તે પામે સુખ નિદાન ।।૪।।
ચોપાઈ –
એહ અર્થે કરે છે ઊપાયરે, નિત્ય નવાનવા મનમાંયરે । જાણે સૌજન દર્શન કરેરે, ભાવે અભાવે નામ ઓચરેરે ।।૫।।
લેતાં સ્વામિનારાયણ નામરે, થાયે પ્રાણી તે પૂરણકામરે । લેશે નામ નિરખશે નેણેરે, પરમ પ્રાપ્તિ પામશે તેણેરે ।।૬।।
માટે મોટા ઊત્સવ સમૈયારે, કરું જાય નહિ કેણે કૈયારે । પછી ફુલદોલ રામનૌમીરે, પ્રબોધની એકાદશી સૌમીરે ।।૭।।
તેદિ આવે લાખોલેખે જનરે, કરે મહાપ્રભુનાં દરશનરે । જાુવે સભા સામું સુખકંદરે, અમૃતદ્રષ્ટિએ આપે આનંદરે ।।૮।।
સહુજન તણા તાપ હરેરે, સુખશાંતિ અંતરમાં કરે રે । સહુ સુખિયા થઈ જન મનેરે, જાય પોત પોતાને ભવનેરે ।।૯।।
રાત્યદિ સાંભરે સ્વામી સંતરે, તેણે રાજી રહેછે અત્યંતરે । કરતાં એ લીળાનું ચતવનરે, તેણે પામે પરમ ધામ જનરે ।।૧૦।।
એવા સમૈયા વરસો વરસરે, કરે એકબીજાથી સરસરે । તેમાં કૈક પૂજે કૈક સ્પરશે રે, સૌને આનંદના ઘન વરસેરે ।।૧૧।।
નિત્ય નવી કરે નાથ લીળારે, ત્યાગી ગૃહી કરી બહુ ભેળારે । સંત બટુ સન્યાસી સમોહરે, જેને કામ લોભ નહિ મોહરે ।।૧૨।।
જોઈ એવાને જકતનાજનરે, સહુ કે’છે કરી ધન્ય ધન્યરે । સંત શ્રીહરિને દરશનેરે, પામે મહામોટો આનંદ મનેરે ।।૧૩।।
એવા જન જગતમાં જેહ રે, પામ્યા અક્ષરધામને તેહરે । એવો કર્યો મોટો ઊપકારરે, બહુ જીવ કરવા ભવપારરે ।।૧૪।।
બંધ થઈ ગયાં બીજાં બારરે, પરમપદ પામ્યા નરનારરે । જીવ સંયમનીએ શીદ જાયરે, પ્રગટ પ્રભુજી છે પૃથવી માંયરે ।।૧૫।।
આજ શક્કો સહજાનંદ તણોરે, બેઠો બળવંત બળિયાનો ઘણોરે । જયારે પ્રગટિયા પ્રભુ પોતે રે, જોયા નજરે આવ્યા જીવ જોતેરે ।।૧૬।।
સ્વર્ગ મર્ત્યલોક ને પાતાળરે, દિઠા તેને દુઃખિયા દયાળરે । તેને છોડાવ્યા બંધથી છેકરે, ગયા એ પણ ધામે અનેકરે ।।૧૭।।
બેસે રાજા ગાદિ પર કોયરે, છોડે બંધીવાનના બંધ સોયરે । તેમ બંધથી છોડાવ્યા બહુ જનરે, પોતે પ્રગટી શ્રીભગવનરે ।।૧૮।।
મહા મોટો પ્રતાપ પ્રગટાવીરે, રીત નૌતમ ન્યારી ચલાવીરે । જેને ઊપર નહિ બીજો કોયરે, તેતો જેમ કરે તેમ હોયરે ।।૧૯।।
સૌના નાથ નિયંતા સ્વામીરે, સૌ ધામતણા પણ ધામીરે । તેતો અઢળક આજ ઢળિયારે, થયા સુખી જન જેને મળિયારે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે દ્વાદશઃ પ્રકારઃ ।।૧૨।।