દોહા –

એમ આજ અવિનાશીયે, કર્યું સાઘું કલ્યાણ । જે જડે નહિ મોટા જોગીને, તે વણ શ્રમે કર્યું વાણ ।।૧।।

દેહ દમ્યા વિના દાસને, આપ્યું ધામ અવિનાશ । તોયે મન માન્યું નહિ, થયું નહિ હૈયું હુલ્લાસ ।।૨।।

પછી ઊત્સવ આદર્યા, વરસોવરસ વડતાલ । દેઈ દરશન દાસને, કરવા કોટિક નિહાલ ।।૩।।

રામનવમી પ્રબોધની, ઊત્સવના દિન એહ । અણ તેડયે સહુ આવજો, કહ્યું શ્રી મુખે કરી સનેહ ।।૪।।

ચોપાઈ –

અમે પણ આવશું જરૂરરે, થાશે દરશ ને દુઃખ દૂરરે । સંત સહિત નિરખશો નેણેરે, અતિ સુખી થાશો સૌ તેણેરે ।।૫।।

એમ કહ્યું આપે અવિનાશરે, સુણિ રાજી થયા સહુ દાસરે । પછી ઊત્સવ ઊપર એહરે, થયા સાબદા સૌ મળી તેહરે ।।૬।।

પૂર્વ પશ્ચિમ ઊત્તર દક્ષિણરે, ચાલ્યા ઊત્સવપર તતક્ષણરે । સુણ્યો સમૈયો શ્રવણે જેણેરે, કરી તરત તૈયારી તેણેરે ।।૭।।

આવ્યા વાયદે વરતાલ ગામરે, ત્યાગી ગૃહી પુરૂષ ને વામરે । પછી વા’લમ પણ વરતાલરે, આવ્યા કરવા સહુને નિહાલરે ।।૮।।

આવ્યા હતા જે જન અપારરે, દરશન કરવાને નર નારરે । તે સહુને દરશન દિધાંરે, જને નેણે નિરખી સુખ લિધાંરે ।।૯।।

બેઠા મોટે મેડે મહારાજરે, સૌને દરસન દેવાને કાજરે । ઊભા થઈને આપે દયાળરે, લિયે સહુ જનની સંભાળરે ।।૧૦।।

પે’રી સુંદર વસ્ત્ર સોનેરીરે, જોયા જેવી શોભા જામા કેરીરે । પે’રી પાયે જામો જરીનોરે, નૌતમ નાડિનો રંગ નવીનોરે ।।૧૧।।

કસિ કમર સોનેરી સાલેરે, બાંધ્યો સોનેરી રટો વાલેરે । ધર્યાં છોગાં તેમાં ફુલનાંરે, લટકે તોરા માઘા મૂલનારે ।।૧૨।।

કંઠે કનક કુસુમના હારરે, ઓપે પરવાળાં તે અપારરે । બાજુ કાજુ કુંડળ કાનેરે, શોભે સારાં ઘરેણાં સોનાનેરે ।।૧૩।।

વેઢ વટિ કર કડાં શોભેરે, જોઇ જન તણાં મન લોભેરે । હૈયે હાર ને હીરા સાંકળીરે, મોતી માળા શોભે વળી વળીરે ।।૧૪।।

એવાં વસ્ત્ર ઘરેણાંને પેહેરિરે, જુવે સહુ જનને વા’લો હેરિરે । જન જોઈ એવી મૂરતિરે, હૈયે હેત વાધેછે જો અતિરે ।।૧૫।।

ર્નિિખ ર્હિખ અંતર ઊતારેરે, જેવા જોયા તેવા ઊર ધારેરે । જેણે જેણે જોયા જગદીશરે, નિર્ખિ જેણે નમાવિયાં શીષરે ।।૧૬।।

તેતો અક્ષરના અધિકારીરે, થયાં બહુ સહુ નર નારીરે । એવી મૂર્તિ ઊર જેને રહિરે, તેને સર્વે કમાણિ જો થઈરે ।।૧૭।।

ભાગે આવ્યો તેને બ્રહ્મમો’લરે, જિયાં અતિ સુખ છે અતોલરે । એહ સુખને આપવા કાજરે, આપે આવિયા છે જો મહારાજરે ।।૧૮।।

માટે કરેછે મોટા જો મેળારે, બહુ જન કરવાને ભેળારે । માટે જેણે જોયા એ સમૈયારે, તેતો બ્રહ્મમો’લવાસી થયારે ।।૧૯।।

ઘણી રીતે હેતે ઘનશ્યામરે, લઈ જાવા છે પોતાને ધામરે । જીવ અર્થે આવ્યા છે આપેરે, તાર્યા જીવ આપ પ્રતાપેરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ચતુર્વિંશઃ પ્રકારઃ ।।૨૪।।