દોહા –
એમ આચારજનું અધિકપણું, શ્રી મુખે કહ્યું ઘનશ્યામ । એહ દ્વારથી અનેકને, કરવા છે પૂરણકામ ।।૧।।
ઘણા જીવ એહ ગૃહસ્થથી, ઊદ્ધારવા છે આ વાર । નરનારી જે જકતમાં, તે સહુના એ તારનાર ।।૨।।
એહ વિના વળી ત્યાગીથી, આજ ઊદ્ધારવા છે અનેક । એમાં પણ અમે રહી, ભવપાર કરવા છે છેક ।।૩।।
ત્યાગી તે સમઝો સંતને, એમાં અમે કરી પરવેશ । બહુ જીવને તારશું, આપી ઊજ્જવળ ઊપદેશ ।।૪।।
ચોપાઈ –
ધર્મકુળમાં કરી રહ્યા ધામરે, તેમ સંતમાં છઊં કહે શ્યામરે । સર્વે રીતે સંતમાં રહુછુંરે, એમાં રહી ઊપદેશ દઊ ંછુંરે ।।૫।।
સંત બોલે તે ભેળો હું બોલુંરે, સંત ન ભુલે હુંયે ન ભુલુંરે । સંત વાત ભેળી કરૂં વાતરે, એમ સંતમાં છઉં સાક્ષાતરે ।।૬।।
સંત જુવે તે ભેળો હું જોઉંરે, સંત સુતા પછી હું સોઉંરે । સંત જાગે તે ભેળો હું જાગુંરે, સંત જોઈ અતિ અનુરાગુંરે ।।૭।।
સંત જમે તે ભેળો હું જમુંરે, સંત ભમે તે કેડ્યે હું ભમુંરે । સંત દુઃખાણે હું દુઃખાણોરે, એહ વાત સત્ય જન જાણોરે ।।૮।।
સંત હું ને હું તે વળી સંતરે, એમ શ્રીમુખે કહે ભગવંતરે । સંત માનજો મારી મૂરતિરે, એમાં ફેર નથી એક રતિરે ।।૯।।
અંતરજામીપણે રહું એમાંરે, માટે નથી બંધાતા એ કેમાંરે । સંકલ્પ સ્વપન ઊપવાસરે, તેતો કરેછે જાણી મને પાસરે ।।૧૦।।
માટે અખંડ એમાં રહુંછુંરે, સારી સત્ય સુબુદ્ધિ દઉંછુંરે । વળી જે જે મ નિ’મ રખાવ્યાંરે, તેમાં રહી એણે તન તાવ્યાંરે ।।૧૧।।
માટે સંત વા’લા મને બહુરે, ઘણિ ઘણિ વાત શું કહુંરે । એને અન્ન જળ અંબર આપેરે, તેતો તપશે નહિ ત્રય તાપેરે ।।૧૨।।
લાગી પાય ને જોડિયા હાથરે, તેતો સહુ થાય છે સનાથરે । જોઈ રીત ને રાજી થાશેરે, વળી ગુણ તે સંતના ગાશેરે ।।૧૩।।
કે’શે સંત તો એ બહુ સારારે, ખરા કલ્યાણના કરનારારે । એટલોજ ગુણ કોઈ ગ્રે’શેરે, તેતો બ્રહ્મમો’લે વાસ લેશેરે ।।૧૪।।
એવા સંતની કરે પ્રસંશારે, ર્નિિખ ર્હિખ હૈયામાં હુલસ્યારે । વળી વિનતિ વારમવારરે, કરે સ્તુતિ તેહ અપારરે ।।૧૫।।
તેતો પામશે પરમ ધામરે, વળી થાશે તે પૂરણકામરે । કાંજે એ સંતમાં અમે છીએરે, સાચા સંતથી દૂર ન રહીએરે ।।૧૬।।
માટે સંત એ કલ્યાણકારીરે, યાંથી બહુને લેવા છે ઊદ્ધારીરે । મોટો માર્ગ જે મોક્ષતણોરે, આજ કર્યો છે ચાલતો ઘણોરે ।।૧૭।।
એમ માંડ્યો છે મોટો અખાડોરે, બ્રહ્મમો’લ જાવા રાત્ય દા’ડોરે । એવો અભાગી કોઈ ન કે’વાયરે, જે કોઈ આસમામાં રહી જાયરે ।।૧૮।।
સંત દેશ પરદેશ ફરેછેરે, સહુ જીવનાં અઘ હરેછેરે । એનાં દર્શન સ્પર્શ જે કરશેરે, તેતો ભવજળ પાર ઊતરશેરે ।।૧૯।।
એતો વિશ વસાની છે વાતરે, સહુ સમઝજો સાક્ષાતરે । કહ્યું શ્રીમુખે એમ મહારાજરે, સાકટમ નોતરું છે આજરે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે એકચત્વારશઃ પ્રકારઃ ।।૪૧।।