અને કેટલેક ઠેકાણે ધર્મ કરે છે તેમાં કરોડ મણ દાણા વાવરે છે, પણ એક અધશરે બરોબર ન આવે, ને એક અધશરે પણ એવું છે. જેમ ઋષિએ વનમાં સાથવા નીચાર પત્રાવળી પોતાને સારુ પુરી હતી, પણ જો  ઓલ્યા ઋષિ માગવા આવ્યા તેને દીધી તો તે ટાણે ચારે ખાઇ ગયા ને જ્યારે હાથ ધોયા ત્યારે તેમાં નોળિયો આળોટ્યો ત્યાં સોનાનો થઇ ગયો. ને પાંડવે યજ્ઞ કર્યો તેમાં ન થયો, કાં જે, એનું દ્રવ્ય એવું હતું.  શું જે? એ ધન તે મરુત રાજાનું લૂંટીને લાવ્યા હતા. ને ઓલ્યું થોડો જ સાથવો હતો; પણ મહેનત કરીને ભેળો કરેલ અને વળી શ્રદ્ધા સોતું દીધું, તેમ આગળ પાત્ર પણ એવું હતું; માટે પાત્ર જોઇ ને દાન કરવું. ।।૨૦૦।।