બીજા તો સુરાભકતના આપાનાં પુણ્ય જેવાં પુણ્ય કરે છે.તે આપો કાશીએ રૂપિયા પાંચસે વાણિયાના વ્યાજે કાઢીને ગયા, તે ધોળકામાં સારાં કેળાં ને કેરી આદિક સારું દીઠું એટલે ત્યાં રહ્યા. પછી બધું ખાઇને વર્ષ એક થયું, ત્યારે વાંસ લઇને કાવડ કરી ને વચ્ચે સાબરમતીથી પાણી ભરીને આવ્યા; ત્યાં તો સહુ સામા ગયા ને ગામમાં આવ્યા. પછી ઓલે વાણિયે ઉઘરાણી કરી, ત્યારે કહે જે, ‘દેશું.’ પછી ઝાઝા દિવસ ગયા એટલે અકળાઇને કહ્યું જે, ‘કાં તો રૂપિયા દિયો ને કાં તો ગંગાજીનું પુણ્ય દિયો.’પછી તો આપાના છોકરાં સહુ કહે જે, ‘ના પુણ્ય તો નહિ.’ ત્યારે આપો કહે, ‘દે રે દે, પુણ્ય તો દીધા જીમો (જેવો)છે.’ એમ કહીને કાનમાં ધોળકાનું કહ્યું, પછી પુણ્ય દીધું; ત્યાંતો મર વાણિયાનો છોકરો, પછી બાઇડી ને પછી પોતે; આજ પુણ્ય જગતમાં એવા થાય છે,એમ કહી હસ્યા ને પછી કહે, મહારાજ એવી વાતું કરાવતા. ।।૨૦૧।।