અને આ સાધુ પાસે ભગવાન છે તે જે એનો સંગ કરે તેને દિયે છે. માટે આ સાધુના સમાગમમાં માલ છે; માટે એની આગળ દીન આધીન થાવું, એને નમવું અને એનો અભિપ્રાય જાણવો જે, શું એનો સિદ્ધાંત છે ? એમ જાણીને તે પ્રમાણે વર્તવું. ।।૨૦૩।।