વૈશાખ વદિ એકાદશીએ શંકરપ્રસાદ આ ગામમાં આવતા માર્ગમાં અધર ટૂટિયું આવ્યું તે મરી ગયો, એ વાત એક હરિજન પાસે કહેવરાવીને કહ્યું જે, “મુમુક્ષુને તો સદાય કકડાટી જ દેખાય જે, આ તો હમણાં ચાલ્યું જવાશે ને મહારાજે પણ કહ્યું છે જે,‘અમને તો એમ જ વર્તે છે જે આ પળમાં ને આ ક્ષણમાં દેહ પડી જાશે.’ માટે ભગવાન ભજી લેવાં.” ।।૨૦૯।।