અને ઉપશમ કરે તે મને ગમે ને હું રાજી થાઉં. ને જે જે ક્રિયા અચાલતી (ખાસ જરૂરની) હોય તે કરવી, પણ પછી ધબ પડી મેલવી; સંકલ્પ કર્યા ન કરવા. આ તો મર્કટની ઘોડ્યે છે. તે એક બુઢિયો વાનરો તેને બીજાએ વાંદરી પાસેથી કાઢી મૂકયો, પછી બોકાસા નાખે; એમ આપણને પણ વિષયમાંથી દુઃખ ઊપજે છે ને બોકાસા નાખીએ છઈએ માટે વિષયથી છેટે રહેવું. ।।૨૧૦।।