અને માવો ભકત કહેતા જે, ‘કાંઇ ખડખડે કે છોકરું હોય તે પોતાના માવતરને ગળે વળગી જાય.’ એમ આપણે પણ ભગવાનમાં ને સાધુમાં વળગી જાવું એ જ ઉગર્યાનો ઉપાય છે. તે વિના ચારે કોરે કાળ ખાઇ જાય છે. ‘બ્રહ્માનંદ હરિચરન બિના, સબે ચવિના કાલકા’ એમ કહ્યું છે. ।।૨૧૩।।