આ જીવ કોઇ દી પ્રભુ ભજવા નવરો થયો નથી. ને સર્વે ધૂળનું છે, પણ માંહી ચોંટી રહે છે, ને જયારે શબ્દ સંભળાય ત્યારે ઝડપ કાન દે, રસ આવે ત્યાં તરત દોડી પૂગે, રૂપ આવે તો ઝડપ જોઇ લે, સ્પર્શ આવે કે ઝડપ ત્વચા સ્પર્શ કરી લે,ગંધ આવે કે ઝડપ નાસિકા સૂંઘી લે, એમ પંચવિષયમાં ઝડપું નાખે છે. અને એ બધાય વિષય છે તો વિષ્ટાના,‘ઇન્દ્રાણી ચંદન લગાય અંગ’ એ સવૈયો બોલ્યા. એવા વિષય છે. માટે ‘નિજાત્માનં બ્રહ્મરુપં’ એવું થાવું. તે વિના છૂટકો નથી.

વારંવાર માનવ દેહ નથી, જો આવી તો ચેત ધર થકી;

જરાએ જાજરું થાશે અંગ, ને ઇન્દ્રિયો મૂકી દેશે સંગ;

સમજવાનું હોય તે સમજી લે, પછી ફૂટે ઘડે પાણી ન રે’ ।।૨૧૪।।