પુરુષોત્તમપણાનો કજિયો પણ ઘણા વર્ષથી ચાલ્યો છે; તે પુરુષોત્તમ કહેવામાં માણસને કેટલી શંકા ! ને બીજા પુરુષોત્તમના રુંવાડા જેવા પણ હોય નહિ, તેને પુરુષોત્તમ કહે છે; એમ સમજણ આવવી તો ઘણી દુર્લભ છે. તેમ સાધુ પણ ન ઓળખાય. ને આવી વાતો વિના મોક્ષ ન થાય ને આવી વાતો કરનારા પણ કયાં મળે ? આ તો ‘ઘરમાં દેવ ને પાદર તીર્થ’ એનું માહાત્મ્ય જણાય નહિ તમે આ લોકમાં પણ કહે છે. ।।૨૧૫।।