અને કાલ રાતે મુદ્દાની વાત કીધી, તે ભગવાન મળ્યાએ મુદ્દો હાથ આવ્યો. આવા પુરુષોત્તમ મળ્યા પછી શું બાકી રહ્યું ? તેના મળેલા સાધુ પણ મળ્યા એ મુદ્દો હાથ આવ્યો છે; હવે ચિંતા નથી. મીલનો મોહામોહકો નીકો; આછો નીકો લાલ હમારો, ઓર સબે રસ ફીકો;ખાટી છાશ કહા રસ માણે ? સૂર ખવૈયો ઘીકો.તે જે આત્મદર્શી છે તે ખાટી છાશના ભોગી છે, ને જે મૂર્તિ છે તે ઘી છે. તે આપણે તો મૂર્તિ વડે જ રહેવું; ખાટી છાશમાં શો માલ છે ? ।।૨૧૬।।