ગોંડલમાં વાણિયે હવેલી કરી તે નળિયાં ચડાવ્યાં, ત્યાં ચાળીસ હજાર કોરી થઇ ને ઘરમાં પણ એટલી હતી. પછી એમને એમ નવી હવેલી ઘરેણે મૂકી તે હજી છૂટી નથી; ને ખાવા મળ્યું નથી. તેમ આપણે પણ ગોંડલના વાણિયાના જેવું છે,તે આ દેહ ઘરેણે મૂકયો છે તે પ્રભુ ભજતા નથી. ।।૨૮૮।।