અને છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાવ્યું તેમાં વાત આવી જે, ‘તપ, ત્યાગ, યોગ અને યજ્ઞે જેવો વશ નથી થાતો, તેવો સત્સંગે કરીને થાઉં છું.’ એમ શ્રીકૃષ્ણે ઉદ્ધવ પ્રત્યે કહ્યુંછે. એ વાત આવી ત્યારે સ્વામી કહેઃ ‘આ વાત સાંભળો, હવે જેટલું છે તેટલું આટલી વાતમાં આવે છે. એ વંચાવીને કહ્યું કે તપ, ત્યાગ, યોગ, યજ્ઞે વશ નથી થતા તે સત્સંગે કરીને થાય છે. એ સત્સંગ આપણને મળ્યો છે પણ જણાતો નથી,સાધુ મળવા તો દુર્લભ છે ને આ સહુ સભા બેઠી છે તેમાં એ વાત તો જે જાણે તે જાણે છે, સહુને સમજાય નહિ. આવો જોગ મળ્યો છે ને પછી બીજાને વળગે છે, તે કાંઇ સમજતા નથી.તે રઘુવીરજી મહારાજ આદિ મોટા મોટા સાધુ કોવૈયાને પાદર બેઠા હતા તેને મૂકીને ત્રણસો માણસ દરિયો જોવા દોડ્યું. ત્યારે તો દરિયા જેવાયે રઘુવીરજી મહારાજ આદિ નહિ ને ? પણ જ્ઞાન કયાં ? આને મૂકીને બીજાને વળગે છે,તેમાં શું પાકશે? સાધુ મળે એમ કયાં છે ? તે કહ્યું છે જે –
પથ્થરકી જાતિ હીરા ચિંતામણિ પારસહુ,મોતી પુખરાજ લાલ શાલ ફેર ડારિયે,
કામધેનુ કલ્પતરુ આદિ દે અનેક નિધિ,સકલ વિનાશવંત અંતર વિચારિયે;
સબ હિ જહાનમેં હિ દૂસરો ઉપાય નાહિં,ચરનુંમે શિશ મેલી દીનતા ઉચ્ચારિયે,
કહત હે બ્રહ્માનંદ કાય મન બાની કરી,કુને એસી ભેટ ગુરુરાજ આગે ધરિયે ?
હે તો સો અનંત સબ કહત હે સંત પુનિ,ભોમિરજકન હુંકો હોત નિરધાર હે,
વન વૃક્ષ હુકે પાત કાહુસેતિ ના લિખાત,સો પુનિ કહત જુગ ભાર જયું અઢાર હે;
ઉદધિ અસંખ્ય નીર તાકું કહત જયું ધરું ધીર,મેઘબુંદ અગનિત કોઉ ગીનત કરી ડાર હે,
કહત હે બ્રહ્માનંદ હમ ઉરમેં વિચાર દેખ્યો,ઓર સબ હિ કો પાર, ગુરુગુન સો અપાર હે.
એ તો મભમ સાધુ કહ્યા પણ કેવા હોય કે
તિન તાપકી ઝાળ જર્યો પ્રાનિ કોઇ આવે,તાકું શીતળ કરત તુરત દિલદાહ બુઝાવે,
કહિ કહિ અમૃત બેન રેન અગ્યાન નિકાસે,પ્રગટ હોત પહિચાન જ્ઞાન ઉર ભાનું પ્રકાસે,
વૈરાગ્ય ત્યાગ રાજત વિમલ ભવદુઃખ કાટત જંતકો,કહે બ્રહ્મમુનિ આ જગતમેં સંગ અનુપમ સંતકો.
એવા છે, અહો ! જીવને સાધુ કયાં ઓળખતાં આવડે છે. ભેળા રહે ને ઓળખે નહિ ને આ જો ખરેખરા ઓળખાય તો ગાંડા થઇ જાઓ. પણ એમ નથી ઓળખાતા એટલી જ કસર છે. જેમ જયાં વરસાદના ઢગલા થાય ત્યાં કાળનું કયાં દુઃખ છે ? એમ જૂનાગઢમાં સાધુના ઢગલા તે વરસ્યા જ વરસ્યા ! પણ વરસાદ નહિ હોય ત્યારે બહુ દુઃખ થાશે. ને આંહીં તો છોંતેરાનો મેઘ છે ને વરસાદ વરસ્યા વિના બીજે તો કાળ જેવું છે, તે માટે આંહીં માણસ હજાર ગાઉથી તણાઇને આ દર્શન સારુ આવે છે. ને આંહીં જૂનાગઢના તળના હરિભકત જાણે જે, મોડા મોડાથી જાશું; નહિ તો જાણે જે નોકરી છૂટી જાશે તો શું કરશું ? ચાકરી તો પડી રહેશે ને ચાલ્યું જવાશે ! અને કાંઇ આ સાધુ સદા રહેશે ? આ દર્શન તો બહુ દુર્લભ છે, પછી આંસુની ધારા પડશે. આ દર્શન ફરી મળે તેવું નથી. પછી‘ ગુરુગુન અપાર હે’ એ બોલીને કહે, આ આપણા ગુરુમાં અપાર ગુણ છે. –
સાધુ ચંદન બાવના, શીતળ છાંય વિશાલ;
મુકત કહે તેહિ પરસસે , નિરવિષ હોત વિષવ્યાલ .
એવા છે. ‘રાજ મિલ્યો કહા કાજ સર્યો’ એ સવૈયો બોલીને કહે, એ સંગ તમને મળ્યો છે, તે કરવો હોય તે કરજો. સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામકી રીતકુંજી;પરાપાર સોહી પરિબ્રહ્મ હે, તામે ઠહરાવે જીવકે ચિત્તકુંજી. એવા છે. તે કેટલુંક કહીએ ! આવા સાધુના સમાગમ વિના મોક્ષ નહિ થાય, અને મધ્યના ૨૧ના વચનામૃતમાં કહ્યું છે, એટલી વાત કરવાની છે ને જાણવાની છે. ને આવા સાધુ મળ્યા એ તો એક મુદ્દો હાથ આવ્યો છે, ને જેને પૂર્વ સંસ્કાર થયા છે તે પણ આવા સાધુને જોગે, ને હમણા પણ જેને થાય છે તે આ સાધુના જોગે, માટે જોગ કરી લેવો. બ્રહ્માંડમાં આવા સાધુ ખોળી લાવો, કયાં મળશે ? ને આમ બેસારી બેસારીને વાતો કોણ કરશે ? સાધુ વિના કોઇ કહે નહિ. ।।૨૧૮।।