પછી ચૈતન્યાનંદસ્વામીની વિસ્તારે વાત કરીને કહ્યું જે,‘એવો રજોગુણ હતો તે બાળમુકુંદાનંદસ્વામીએ ધીરે ધીરે પુરુષોત્તમપણાની વાતો કરીને સાધુનું માહાત્મ્ય કહીને બધુંયે કઢાવી નાખ્યું તે એક આસન ઉપર સૂવું ને ઠાકોરજી આગળ ઊભા રહીને સ્તુતિ કરે જે, ‘તમારા સાધુ ઓળખાતા નથી તે ઓળખાવો.’ એવા કરી દીધા; તે સાધુથી થાય.’ ।।૨૧૯।।