એક જણે પ્રશ્ન પૂછ્યું જે,‘જીવમાં કાચપ તો ઘણી છે તેથી આત્યંતિક મોક્ષ તો નહિ થાય, તે જયારે કસર ટળશે ત્યારે થાશે તે કસર ટાળવા કયાં રાખશે ? ને જો કોઇક લોકાંતરમાં ભગવાન મેલે તો તો આંહીના થી ત્યાં વધુ વિષય ભોગ છે, ત્યાં રહીને કેમ નિર્બાધ રહેવાય ? એમાં તો રહેવાય એવું જણાતું નથી તે હમણાં આવા સાધુનો જોગ મળ્યો છે, ત્યાં જ કસર મંદ શ્રદ્ધાથી નથી ટળતી; પણ દેહ મૂકયા પછી આવા સાધુનો જોગ મળે તો કસર ટળે. માટે એવાનો જોગ મેળવશે કે નહિ, કેમ કરશે ?’પછી સ્વામીએ ઉત્તર કર્યો જે, જયાં આવા સાધુ હશે, ત્યાંજ રાખીને કસર ટાળશે. હમણાં જણાતું નથી, પણ આ દેહ મૂકીને જીવ બહુ બળિયો થાશે તેના ભગવાન ફળપ્રદાતા છે.તે એવો જોગ મેળવી દેશે, આપણે કાંઇ કરવું રહ્યું નથી. આવા સાધુની ઓળખાણે થઇ રહ્યું. ।।૨૨૦।।