માગશર માસમાં સ્વામીએ વાત કરી જે, ‘એમ મહારાજની આજ્ઞા કોઇ દિવસ લોપી નથી ને લોપાવિયે નથી. ને આ જૂનેગઢ પાંચસે સાધુમાંથી કોઇ આવતું નહોતું; પછી મને કહ્યું, ત્યારે હું આવ્યો, તે મને શું થઇ ગયું ? કાંઇ કોઇ દુઃખ આવ્યું નહિ, ને આ જૂનાગઢના તો મહારાજ જમાન થયા છે. તે જુઓને, આવી વાતોચીતોનો જોગ કયાંય છે ? પૂછો, આ પરદેશી હરિજનને.’ ત્યારે તેણે કહ્યું જે, ‘ના મહારાજ ! આવો જોગતો આંહીં જ છે’ પછી સ્વામી બોલ્યા જે, ‘આંહીં તો સંત ભેગા પ્રગટ સહજાનંદસ્વામી પોતે બિરાજે છે; તેણે એમ છે. નીકર આમ કેમ રહે ?’ ।।૨૨૪।।