ઓહો ! એમ નાના હતા ત્યારે કૂવામાં મોટા પાણા નાખતા હતા, પછી ઓલી નીલ જે હોય તે ખસીને ચોખ્ખું પાણી થઇ જાય પણ પાછી નીલ ભેળી થઇ જાય. એમ આ વાતું કરીએ છઈએ ત્યારે માયારૂપી નીલ ખસી જાય છે. ને જીવ ક્રિયા કરવામાં ઊઠે કે તરત પાછો નીલની પેઠે ભળી જવાય એવો જીવનો સ્વભાવ છે. ।।૨૩૧।।